Thursday, February 6, 2014

બોલવામાં ક્યાં ટેક્ષ લાગે છે?


તે સાચી જ વાત છે ને. કોઈને ક્યાં આપણા માટે સમય હોય તે આપણી વાત(બક-બક) સાંભળે? અને જો કોઈ સાંભળવા તૈયાર થાય.. ત્યાં કૃષ્ણ દવે ની એક પંક્તિ યાદ આવે છે.. કે "માઈક મળે તો કોઈ છોડે?" ત્યાં આપણે મન ફાવે તેમ બોલવાનું (ગોળીઓ આપવાનું) શરુ. ;) અને પછી પાછળ થી પસ્તાવું પડે.

ઉદાહરણ આપું કે ચાલશે.. વાંચી જ લો ને યાર.

1. અને હા આ ટાઈટલ જાહેરાત વાળાઓ ને જોરદાર લાગુ પડે.... "ફક્ત દસ દિવસ માં ગોરા થાવ." મિત્ર west-indies માં જઈને જાહેરાત કર ને.. આવી તો બીજી ટેબ્લેટ પણ છે જે પાણી વિના ઉતારી દે. યાદ છે ને "કૃપા આની શુરુ હો જાયેગી." વાળી જાહેરાત.

2. હમણાં મણિશંકર ઐયર સાહેબ(સાહેબ ના કે'વાય) ને લોકો એ ચા ની કીટલી પકડાવી દીધી.
એમનું વાક્ય હતું "મોદી સાહેબ ને ચા ની કીટલી ખોલવા માટે જગ્યા કરી આપીએ."

3. આપણા લોક-લાડીલા પ્રેમી પંખીડા.. એમની જીભ ને પણ બોલવામાં ઢાળ નથી ચડવો પડતો. "તારા માટે જાન આપી દઈશ". બકા 500 RS નું રીચાર્જ કરાવને. એટલું કહેતા જ બત્તી ગુલ.

4. ધોની-બ્રિગેડ સતત બે ક્રિકેટ શ્રેણી હાર્યા. દક્ષીણ-આફ્રિકા અને ન્યુજીલેન્ડ સામે વનડે શ્રેણી તબિયત થી હાર્યા પહેલા નું વાક્ય હતું "અમારી ટીમ સારું પ્રદર્શન કરશે" (આમ તો આવું દર વખતે કહે જ છે)

5. આ શાહરુખની ચેન્નાઈ-એક્ષપ્રેસ (રોહિત ની) વખતે વિશાલ દાદ્લાની અને શેખર રાવજિઆણી એ શરમ નો સામનો કરવો પડેલો એમનું વાક્ય હતું "હનીસિંહ આ ફિલ્મ માં એક પણ સોંગ નહિ ગાય." પણ વહાલા ભાઈઓ લુંગી-ડાન્સ એ તો ધૂમ મચાવી અને ગોલ્ડન કેલા એવોર્ડ (સૌથી ખરાબ ગીત)  પણ જીત્યો..  :)

 આ તો થઇ બીજા વ્યક્તિ ઓ ની વાત... હવે આપણી વાત કરીએ (પોઈન્ટ ટુ બી નોટેડ).

* યોગ્ય સમયે યોગ્ય શબ્દો બોલવાથી માન વધે.
* યોગ્ય સમયે અયોગ્ય શબ્દો બોલવાથી માન ઘટે.
* અયોગ્ય સમયે યોગ્ય શબ્દો બોલવાથી ભવિષ્ય માં વખાણ મળે.
* અયોગ્ય સમયે અયોગ્ય શબ્દો બોલવાથી ઢેકા ભાંગી જાય.

જો તમે વિચારી લેતા હોય તો હું વિદાય લઉં.. અને આગળ થી બોલવામાં ધ્યાન રાખજો...
જેથી ઈજ્જત ના કાંકરા અને આબરૂ ના ધજાગરા ના થાય...

તો મળીએ ફરીથી.. ત્યાં સુધી.. ટેક્ષ  લગાડો કોઈના માથે.

લબૂક :-
"લાગ્યું એને કે એના વગર હું મરી જઈસ,
સાલો તાવ પણ ના આવ્યો "

No comments:

Post a Comment